શું તમે જાણો છો ભારતનો સૌથી નાનો તબલાવાદક કોણ છે? જેને માત્ર દોઢ વર્ષની ઉંમરે શીખી લીધા હતાં તબલા વગાડતાં!
મુંબઈના મુલુંડમાં રહેતા નાના તબલાવાદકને સાંભળીને તમને લાગશે કે કલા પર કોઈનો ઈજારો નથી. તૃપ્તરાજ પંડ્યાએ 26 બાળકોમાંથી એક છે જેનું સન્માન રાષ્ટ્રપતિ પુરસ્કાર દ્વારા થયું. TV9 Gujarati Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી 5 […]
Follow us on
મુંબઈના મુલુંડમાં રહેતા નાના તબલાવાદકને સાંભળીને તમને લાગશે કે કલા પર કોઈનો ઈજારો નથી. તૃપ્તરાજ પંડ્યાએ 26 બાળકોમાંથી એક છે જેનું સન્માન રાષ્ટ્રપતિ પુરસ્કાર દ્વારા થયું.
રાષ્ટ્રપતિ કોવિંદ અને પ્રધાનમંત્રીના હસ્તે તૃપ્તરાજ પંડ્યાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તૃપ્તરાજના નામે સૌથી નાના તબલાવાદકનો ખિતાબ છે. તેમને આ રાષ્ટ્રીય પુરસ્કારની સાથે અન્ય ઘણાંબધા એવોર્ડ મળેલાં છે. પોતાના દીકરાને આ પુરસ્કાર એનાયત થતાં તેના પરિવારના સભ્યો દ્વારા ‘મન મોર મની બની થનગનાટ કરે’ તે ગીત ગાઈને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. પોતાની દોઢ વર્ષની ઉમરમાં જ તૃપ્તરાજે તબલાવાદન શીખી લીધું હતું અને આજે તે પોતાની નાની વયમાં અનેક જગ્યાએ તબલાવદન કરી ચૂક્યાં છે.