રાજસ્થાનથી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ બાદ હવે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કીર્તિ ક્યાં છૂપાઇ હતી અને તેને કોણે આશરો આપ્યો તે મુદ્દે તેમજ કીર્તિ સાથેના અન્ય આરોપીઓ ક્યાં છૂપાયા છે તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ 20 લાખની ખંડણી માગવાના કેસમાં પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે.
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી અંગેનો ગુનો નોંધાયો છે. અન્ય બે ગુનામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. શિવરાત્રીના મેળામાં શાહી સ્નાન કરવા મુદ્દે વિવાદ થયો હતો. આમ જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયા છે.
જૂનાગઢના મૃગીકૂંડમાં સ્નાન કરવાના કારણે કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી અને તેની સામે ધાર્મિક લાગણી દુભાવવા, પોલીસની ફરજમાં રૂકાવટ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત કીર્તિ સામે 20 લાખની ખંડણી માગવાનો તથા બળાત્કારના કેસમાં ફીટ કરવા ધમકી આપ્યાનો પણ ગુનો નોંધાયેલો છે. ત્યારે કીર્તિ પટેલની ધરપકડ થતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.
કીર્તિ પટેલની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી. ગુનો દાખલ થયો ત્યારથી ફરાર કીર્તિ પટેલને કોણે આશરો આપ્યો, ક્યાં છુપાઇ હતી, તેની સાથેના અન્ય આરોપીઓ ક્યાં છુપાયા છે ? તે સહિતના અનેક કારણો અંગે પોલીસે તપાસ કરવા માટે રિમાન્ડ માંગ્યા છે. હાલ 20 લાખની ખંડણી માંગી બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરવા મુદ્દે પોલીસે તેની ધરપકડ કરી છે.
Published On - 1:13 pm, Mon, 23 February 26