આદિવાસીઓના ઉત્થાનના નામે કૈભાંડનો વધુ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. ખોટા લાભાર્થીઓ દર્શાવી વન વિકાસ નિગમ દ્વારા ચૂકવણું કરાયું છે. એટલું જ નહીં TV9 ગુજરાતીની પડતાલમાં કેટલાક લાભાર્થીઓતો અવસાન પામેલા હોવા છતાં તેમના નામે સરકારી નાણા ફાળવાયા હોવાનું સામે આવ્યું છે. યોગ્ય અને સધન તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે આ પહેલા પણ છોટા ઉદેપુરમાં નકલી કચેરીના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેની હજી તપાસ ચાલી રહી છે, ત્યારે જો આદીવાસીઓના સહાયના નામે ગોલમાલ સામે આવે તો આ પણ મોટું કૌભાંડ હોઈ શકે છે.
આ પણ વાંચો: છોટાઉદેપુર : ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ, લગાવ્યા આરોપ, જુઓ વીડિયો
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો