બીલીમોરાથી 30 યુવાનની અયોધ્યા સુધી 1430 કિમીની દોડ, દાહોદ ખાતે કરાયું સ્વાગત
બીલીમોરાથી 30 યુવાનોનું ગ્રુપ 1430 કિમી દોડીને અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચશે. આ યુવાનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પર્વમાં શામેલ થશે. 30 યુવાનોના આ ગ્રુપમાં 26 યુવકો અને 4 યુવતીઓ સામેલ છે. જેમનું દાહોદ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ અવસરના સહભાગી થવા માટે ભક્તોએ અયોધ્યાની વાટ પકડી છે. બીલીમોરાથી 30 યુવાનોનો એક સંઘ દોડતા અયોધ્યા જવા નિકળ્યો છે. જે દાહોદ ખાતે આવતા આ યુવા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું છે.
બીલીમોરાથી 30 યુવાનોનું ગ્રુપ 1430 કિમી દોડીને અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચશે. આ યુવાનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પર્વમાં શામેલ થશે. 30 યુવાનોના આ ગ્રુપમાં 26 યુવકો અને 4 યુવતીઓ સામેલ છે. જેમનું દાહોદ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો દાહોદ : ઈ-ધરા કેન્દ્રમાં છેલ્લા 5 દિવસથી કનેક્ટિવિટી બંધ, ખેડૂતોને હાલાકી, જુઓ વીડિયો
