પાટીદાર સમાજને વેપારી ગણાવતા પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીએ નિવેદન મહેસાણામાં અર્બુદા સેવા સમિતિ બેઠકમાં કર્યુ હતુ. તેમના સમાજના અગ્રણીઓ અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં વિપુલ ચૌધરીએ આ વિવાદીત નિવેદન કરવાને લઈ તેમની સામે હવે પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા વિરોધ રજૂ કરવામાં આવ્યો છે. ચૂંટણીના સમયમાં જ કેમ બોલ્યા એ અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પાટીદાર અગ્રણીએ બતાવ્યુ હતુ કે, ચૌધરી સમાજે પણ વિપુલ પટેલના આ નિવેદનને વખોડવું જોઈએ.
સમાજની સંસ્થાઓને લઈ કહ્યુ હતુ કે, 99 સંસ્થાઓ સારી ચાલતી હોય અને એક સંસ્થામાં ક્યાંક ખામી સામે આવી હોય તો તેના વિશે કહેવું જોઈએ. આવી રીતે સમાજના દાતાઓ, સંસ્થાઓ અને તેમની સેવાઓની સામે આવું કહેવું એ નિંદનીય હોવાનું પણ પાટીદાર અગ્રણીઓએ ગણાવ્યુ છે.