વલસાડના વાપી ખાતે ક્યારામાં ડુબી જતા 3 બાળકના મોત થયા છે. મળતી માહિતી મુજબ વાપીના છરવાડા ખાતે આવેલ રમજાન વાડીમાં આ ઘટના બની હતી. જ્યાં 4 બાળકો રમઝાનવાડી પાસેના ક્યારામાં નાહવા ગયા હતા આ દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. 3 બાળકો ક્યારામાં ડૂબી જતા મોત નીપજ્યા હતા.
વલસાડના વાપીમાં ક્યારામાં ડૂબી 3 બાળકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ 6 ફૂટ ઊંડા ક્યારામાં 4 બાળકો નાહાવા ઉતર્યા હતા આ દરમિયાન અચાનક 3 તે ક્યારામાં ડૂબી ગયા હાતા જેમાં 1 બાળકો આબાદ બચાવ થયો છે. ત્યારે આ સમગ્ર મામલે ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડના વાપી ખાતે બાળકો ન્હાવા માટે ક્યારામાં ગયા હતા આ દરમિયાન મોટી દુર્ઘટના બની હતી અચાનક તેમાથી ત્રણ બાળકો ડૂબી જતા મોત થયું છે તેમાંથી એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે હાલ તે બાળક હોસ્પિટલમાં છે અને સારવાર ચાલી રહી છે આ સાથે ડૂબી ગયેલા બાળકોની શોધખોળ ચાલુ છે.