Gujarati video : વડોદરાના દંતેશ્વરના જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી, VMCના ત્રણ કર્મચારીઓની પૂછપરછ

Vadodara News : ક્રાઇમ બ્રાંચની ટીમ સતત પૂછપરછ કરી રહી છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 9:59 AM

વડોદરાના 100 કરોડની સરકારી જમીનના કૌભાંડના કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ સતત પૂછપરછ કરી રહી છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. આ ત્રણ કર્મચારીઓએ બોગસ દસ્તાવેજોના આધારે જમીન હડપ કર્યા બાદ બાંધકામ માટે બોગસ રજા ચિઠ્ઠી બનાવી હતી.

આ પહેલા દસ્તાવેજ કરનાર નોટરી અને ટાઇટલ ક્લિયર કરી આપનાર વકીલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. બંનેની પૂછપરછ દરમ્યાન કેટલીક મહત્વની કડી મળી આવી હતી. સાથે જ આરોપીનો ભોગ બનેલાઓને ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે.

મૂળ સુધી જવામાં ક્રાઈમ બ્રાન્ચને મહદ્ અંશે સફળતા મળી

બહુચર્ચિત 100 કરોડના સરકારી જમીન કૌભાંડની તપાસના મૂળ સુધી જવામાં ક્રાઈમ બ્રાન્ચને મહદઅંશે સફળતા મળી છે. તપાસમાં સામે આવ્યું છે કે વાઘોડિયા રોડ પર આવેલી હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ ઓફિસને કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી ઇસ્યુ કરાઈ હતી. તે રજા ચિઠ્ઠીના નંબરનો ઉપયોગ કરીને બાંધકામ કરવામાં આવ્યું હતું. રજા ચિઠ્ઠી મેળવનારનું નામ અને જમીનનું વર્ણન બદલી બોગસ રજા ચિઠ્ઠી બનાવાઈ હતી. સંજય પરમાર કલેકટરના અસલ હુકમો લઈને નોટરી પાસે ગયા હતા.જેના પરથી નોટરીએ નકલો પર ખરાઈ કરી હતી.

જેથી જમીનનું ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ લાવી આપનાર વકીલને નોટિસ પાઠવાઈ છે. જ્યારે ટાઇટલ ક્લિયર માટે અખબારોમાં જાહેર નોટિસ આપનાર વકીલનું નિવેદન નોંધવામાં આવ્યુ. જો કે ક્રાઈમ બ્રાન્ચ હજુ એ તપાસ કરી રહી છે કે ત્રીજા આરોપી શાંતાબેનના ખાતામાંથી મુખ્ય આરોપી સંજયસિંહ પરમારે મેળવેલા દોઢ કરોડ અને પ્લોટધારકો પાસેથી મેળવેલા 80 થી 90 લાખ રૂપિયા ક્યા ગયા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">