Surat :16 વર્ષીય સગીરાનું ગેરકાયદે ગર્ભપાત કરતા મોત, ઘટનાને પગલે શહેરમાં હાહાકાર

|

Nov 18, 2022 | 12:42 PM

સગીરાના ગર્ભાપાત કર્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ રસ્તામાં તેનું મોત થઈ ગયુ હતુ.  સ્મશાનમાં ડેથ સર્ટિ. માંગતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સુરતમાં 16 વર્ષીય સગીરાનું ગેરકાયદે ગર્ભપાત કર્યા બાદ મોત નીપજતા હાહાકાર મચ્યો છે.  ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઉધનાની એક હોસ્પિટલમાં 16 વર્ષની સગીરાનું ગર્ભપાત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સગીરાનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ સગીરાના ગર્ભાપાત કર્યા બાદ રજા આપવામાં આવી હતી પરંતુ રસ્તામાં તેનું મોત થઈ ગયુ હતુ.  સ્મશાનમાં ડેથ સર્ટિ. માંગતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સુરતમાં ગેરકાયદે ગર્ભપાતના વેપલાનો પર્દાફાશ

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સગીરા પ્રેમ પ્રકરણને પગલે ગર્ભવતી બની હતી. સગીરાના બહેન-બનેવી સગીરાને હોસ્પિટલમાં લઈ ગયા હતા.  હાલ તો સચિન જીઆઈડીસી પોલીસે બહેન-બનેવી, ડૉક્ટર તેમજ નરાધમ યુવક સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે પરંતુ જે રીતે સુરત શહેરમાં ગેરકાયદે ગર્ભપાતનો પર્દાફાશ થયો છે તેના પગલે હાહાકાર મચી ગયો છે.

Next Video