Rathyatra 2022 : અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષાનું તરકશ એપથી મોનિટરિંગ

|

Jul 01, 2022 | 5:17 PM

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને(Rathyatra 2022) લઇને શહેરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ દ્વારા કડક  પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદ(Ahmedabad)  શહેર પોલીસ ભગવાન જગન્નાથની 145  રથયાત્રાનું(Rathyatra 2022)  તરકશ એપ(Tarkash App) દ્વારા  નજર રાખી રહી છે. જેમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને શહેરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ દ્વારા કડક  પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીનો પણ આ વર્ષે સહારો  લીધો છે જેમાં રથયાત્રાની સુરક્ષા પર ધ્યાન રાખવા માટે ડ્રોન અને હેલિકોપ્ટરથી પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

પોલીસ દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને તરકસ એપ્લિકેશન દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.

અમદાવાદમાં  રથયાત્રા  પરત ફરી રહી છે ત્યારે ગજરાજ શાહપુર દરવાજા પહોંચ્યા છે. આ ઉપરાંત ટેબ્લો પણ પરત આવી રહ્યા છે. ટેબ્લો દિલ્હી ચકલા  પહોંચ્યા છે. રથયાત્રામાં કોઈ અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃતી ન કરે તે માટે પોલીસ સતત ચોકસાઈ દર્શાવી રહી છે. રથયાત્રાનું આગમન થાય તે પહેલાં રંગીલા પોલીસ ચોકીથી BSF અને RAF તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.રથયાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને તરકસ એપ્લિકેશન દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.અષાઢી બીજના પવિત્ર દિવસે સવારે જગન્નાથ મંદિરથી ” જાય જગન્નાથ” ના ઉદઘોષ સાથે નીકળેલી રથયાત્રાના પ્રારંભ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

હર્ષ સંઘવી ફરી એકવાર દરિયાપુરથી યાત્રામાં જોડાશે

આ  તમામ વ્યવસ્થાઓ બાબત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને માહિતગાર કર્યા હતા. રથયાત્રા નિર્ધારિત સમયાનુસાર અને સુચારુ રીતે ચાલી રહી છે ત્યારે પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી ફરી એકવાર દરિયાપુરથી યાત્રામાં જોડાશે જાય જગન્નાથનો જય ઘોષ કરશે. જગતના નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોસાળમાં પહોંચ્યા છે.બે વર્ષ બાદ રથયાત્રા યોજાતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં છે અને જય રણછોડ, માખણ ચોરના નારા લગાવ્યાં હતા.મોસાળમાં થોડી વાર વિરામ કરીને ભગવાન નિજમંદિર તરફ રવાના થયા છે.

Published On - 4:58 pm, Fri, 1 July 22

Next Video