જાન્યુઆરીમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મહિસાગરના તીર્થધામ દેગમડાને અપાઈ આમંત્રણ પત્રિકા
આમંત્રણ પત્રિકાને લઈને દેગમડાના મહંત અરવિંદગીરીએ શ્રી રામજન્મ ભૂમિ ક્ષેત્રનો આભાર માન્યો હતો. તો અયોધ્યાથી આમંત્રણ આવતા જિલ્લામાં રામ ભક્તોમાં હર્ષની લાગણી છવાઈ છે. રામજન્મ ભૂમિ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પત્રિકાઓ આપવામાં આવી રહી છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેની ભક્તો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ મહોત્સવને લઈને આમંત્રણ પત્રિકાઓની વહેંચણી પણ શરૂ થઈ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા તરફથી મહિસાગરના તીર્થધામ દેગમડા ખાતે આમંત્રણ પત્રિકા અપાઈ છે.
આમંત્રણ પત્રિકાને લઈને દેગમડાના મહંત અરવિંદગીરીએ શ્રી રામજન્મ ભૂમિ ક્ષેત્રનો આભાર માન્યો હતો. તો અયોધ્યાથી આમંત્રણ આવતા જિલ્લામાં રામ ભક્તોમાં હર્ષની લાગણી છવાઈ છે. રામજન્મ ભૂમિ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પત્રિકાઓ આપવામાં આવી રહી છે.
Follow Us
