પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવાની કરણી સેનાની માગ, રાજકોટમાં રાજપૂત સમાજની મળી બેઠક

|

Mar 26, 2024 | 8:57 PM

કરણી સેના સહિત રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે. જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો રાજપૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિુરુદ્ધ કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે. છતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવાની રાજકોટના રાજપૂત સમાજે માગ કરી છે. કરણી સેનાની અધ્યક્ષતામાં મોરબી અને રાજકોટમાં રાજપૂત સમાજની બેઠક મળી હતી. બેઠકમાં રૂપાલા વિરૂદ્ધ રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો હતો.

કરણી સેના સહિત રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે. જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો રાજપૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિુરુદ્ધ કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે. છતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

Next Video