Panchmahal: ખાનગી ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત, બે બાળકો ઇજાગ્રસ્ત

|

Feb 04, 2022 | 7:00 AM

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાંકલી ગામના પરિવારને અકસ્માત નડ્યો છે. ઇન્દોરથી અમદાવાદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ગોધરા દાહોદ હાઇવે પર ફરી એક વાર અકસ્માત (Accident)ના કારણે 3 લોકોએ જીંદગી ગુમાવી (Death)છે. ઇન્દોરથી અમદાવાદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાંકલી ગામના પરિવારને અકસ્માત નડ્યો છે. ઇન્દોરથી અમદાવાદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હોવાની વિગતો પ્રાપ્ત છે. અકસ્માતમાં મૃત્યુ પામનારમાં 2 મહિલા અને 1 પુરુષ હોવાનું જાણવા મળ્યુ છે. તો અકસ્માતમાં 2 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ બંને ઇજાગ્રસ્ત બાળકોને હાલમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

અકસ્માતના પગલે ગોધરાના સાંકલી ગામનો પરિવાર તહેસ નહેસ થઇ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઇજાગ્રસ્ત બાળકો અંગે તેમના પરિવારને જાણ કરી છે. તો મૃતદેહોના પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો-

Gujarat : 8 મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે, ખુલ્લામાં યોજાતા લગ્નપ્રસંગોમાં 300 મહેમાનોને મંજૂરી

આ પણ વાંચો-

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પાકિસ્તાન કનેક્શનની વાત ખોટી : ATS

Published On - 6:50 am, Fri, 4 February 22

Next Video