Narmada: સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નદીમાં 80 હજાર ક્યૂસેક પાણી છોડાયું

|

Aug 14, 2022 | 5:23 PM

આ અગાઉ બે વર્ષ પહેલા અગાઉ 30 ઓગષ્ટ 2020ના રોજ અને 17 સપ્ટેમ્બર 2020ના રોજ નર્મદા ડેમના (Narmada Dam) 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

ગુજરાત (Gujarat) માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. કારણકે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના (Narmada Dam) કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી સતત ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની આવક સતત થઇ રહી છે. જેથી ડેમમાંથી 80 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યુ. નર્મદા નદીમાં ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે. જેના કારણે નર્મદા ડેમનો નજારો અદભુત જોવા મળી રહ્યો છે.

બે વર્ષ બાદ ડેમના 23 દરવાજા ખોલાયા

ગુજરાતના સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો એવો સરદાર સરોવર ડેમમાંથી હાલ 80 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાથે જ રિવરબેડ પાવરહાઉસથી 44 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. આમ કુલ 1 લાખ 24 હજાર ક્યૂસેક પાણી સરદાર સરોવર ડેમમાંથી છોડાયું છે.

આ અગાઉ બે વર્ષ પહેલા અગાઉ 30 ઓગષ્ટ 2020ના રોજ અને તે જ વર્ષે 17 સપ્ટેમ્બર 2020ના રોજ નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ વર્ષે સારા વરસાદના પગલે ડેમમાં પાણીની સારી આવક છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ હિલ સ્ટેશન જેવો માહોલ

વરસાદી માહોલ વચ્ચે નર્મદા જિલ્લામાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાતપુડા અને વિંદ્યાચલની ગિરીકન્દ્રા વચ્ચે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ વચ્ચે પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નયન રમ્ય નજારો માણવા લોકો દુર દુરથી આવી રહ્યા છે.

Next Video