BJP મિશન 182 : આદિવાસી મતદાતાઓને રીઝવવા ભાજપની કવાયત, આજથી સી.આર.પાટીલ નર્મદા જિલ્લાના પ્રવાસે

|

May 30, 2022 | 10:12 AM

નર્મદામાં પાટીલ (CR Patil) વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના અતંર્ગત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સાથે જ સાંજે સાડા પાંચ વાગ્યે પેઈજ સમિતીના સભ્યોને સંબોધિત કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly election)  પડઘમ વાગે તે પહેલાં તમામ રાજકીય પાર્ટીઓ મતદાતાઓને આકર્ષવા એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે.રાજકીય પાર્ટીઓ જ્ઞાતિ-જાતિના સમીકરણો પર કામ કરી રહી છે. એવા સમયે ભાજપ પણ આદિવાસી મતદાતાઓને રીઝવવા સંપૂર્ણ જોર લગાવી રહી છે.આજથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નર્મદા જિલ્લાના પ્રવાસે છે. નર્મદામાં પાટીલ (CR Patil) વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના (One day one District) અતંર્ગત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.સાથે જ સાંજે સાડા પાંચ વાગ્યે પેઈજ સમિતીના સભ્યોને સંબોધિત કરશે.આમ, આદિવાસી મતો અંકે કરવા સી.આર.પાટીલે પોતે જ મોરચો સંભાળ્યો છે.ઉલ્લેખનીય છે કે નર્મદા (Narmada) જિલ્લો BTPનો ગઢ માનવામાં આવે છે અને વર્ષોથી આ વિસ્તારની બેઠક પર BTPનો કબજો છે, ત્યારે 182ના લક્ષ્યાંકને પાર પાડવા ભાજપે હવે આદિવાસીને રીઝવવા કવાયત શરૂ કરી છે.

આદિવાસી બેઠકો પર ભાજપની નજર

આદિવાસી જ્ઞાતિનાગણિત પર નજર કરીએ તો, 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓનું 38 બેઠકો પર પ્રભુત્વ છે.જેમાં રાજ્યનો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે.એટલે કે આદિવાસી પૂર્વ પટ્ટીના 14 જિલ્લા ભાજપનું 182 બેઠકોનું સપનું સાકાર કરી શકે છે.મહત્વપૂર્ણ છે કે 27 અનામત બેઠકોમાંથી 15 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠકો પર BTPનો કબજો છે…જ્યારે ભાજપ પાસે માત્ર 9 બેઠકો જ છે, ત્યારે BTPના ગઢમાં ગાબડુ પાડી નર્મદાની 2 બેઠકો અંકે કરવા ભાજપ મથામણ કરી રહી છે.

Next Video