Ahmedabad : વહેલી સવારે ઈસનપુરમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, એક વ્યક્તિનું મોત

|

Sep 29, 2022 | 10:08 AM

ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમે સ્થળ પર પહોંચી આગ (Fire) પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનુ કારણ હજુ જાણી શકાયું નથી.

અમદાવાદમાં (Ahmedabad) મોની હોટેલ પાસે લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયુ છે. રાણી સતી એસ્ટેટ પાસે વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગી હતી. જેમાં દિલસાજ ખાન નામની વ્યક્તિ દાઝી હતી. જેને હોસ્પિટલ (Civil hospital) ખસેડાતા સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમે સ્થળ પર પહોંચી આગ (Fire) પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનુ કારણ જાણી શકાયું નથી.

શ્યામલ વિસ્તારની આઈકોનીક બિલ્ડિંગમાં આગ

થોડા દિવસો અગાઉ મોડી રાત્રે અમદાવાદનાશ્યામલ વિસ્તારમાં આઇકોનીક બિલ્ડિંગમાં આગ લાગી હતી. 12માં માળે ફર્નિચરના કામ દરમિયાન આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની (Fire Brigade) 6 થી વધુ ગાડી ઘટના સ્થળ પહોંચી હતી. આગ બુજાવવા અને બચાવની કામગીરીને કારણે હાલ આગ કાબૂમાં છે. લગભગ 1 કલાકની અંદર આ આગ (Fire brigade) પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તેના માટે પોલીસની(Ahmedabad police)  પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.

Next Video