મહીસાગરમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ સંતરામપુરથી કર્યા છે. કડાણાના ઝાલાસાગ ખાતે પ્રચાર અભિયાન દરમિયાન કોંગ્રેસ અને અપક્ષના મળી 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય કડાણામાં નવા રસ્તાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વરદ હસ્તે કડાણા તાલુકાના વેલણવાડા ગામે 3 કિમીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વેલણવાડાના હનુમાન મંદિરથી નીંદકા ડેરી સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો કડાણામાં કુલ 594.63 લાખના રસ્તાના લોકાર્પણ કરવામાં આવ્યા.
Published On - 10:14 pm, Thu, 7 March 24