હિંમતનગરમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મહાપંચાયત યોજાઈ

|

Dec 09, 2023 | 6:55 PM

અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મહાપંચાયતનો કાર્યક્રમ હિંમતનગરમાં યોજાઈ હતી. જેમાં અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના શૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જૂની પેન્શન યોજનાથી લઈને પડતર પ્રશ્નો અંગેની માંગણીઓ કરવામાં આવી હતી. આ માટે મહાપંચાયત યોજી હતી અને જેમાં તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

હિંમતગર શહેરમાં શૈક્ષણિક કર્મચારીઓએ વિશાળ 2 રેલી 2 અલગ અલગ માર્ગો પર યોજી હતી. મૌન રેલી યોજીને શિક્ષકોએ પોતાની માંગણીઓના બેનરો વડે રજૂઆત કરી હતી. સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના કર્મચારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેઓએ પોતાની માંગણીઓને લઈ અવાજ રજૂ કર્યા હતા. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ઉપરાંત આશ્રમ શાળાઓના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ત્રણેય જિલ્લાના કર્મચારીઓએ મળીને મહાપંચાયત યોજી હતી. જેમાં કમર્ચારીઓના પડતર પ્રશ્નોની ચર્ચા કરી હતી અને જેને ઉકેલવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. સંઘના આગેવાનોએ કહ્યુ હતુ કે, 01/04/2005 પહેલા નિમાયેલા શિક્ષકોને પેંશનમાં સમાવવા સહિતના કેટલાક મુદ્દાઓ નું સમાધાન થયું હતું. પરંતુ આ અંગેનો ઠરાવ ના થતા પદયાત્રા અને મહાપંચાયતના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ અરવલ્લીમાં વિકાસ યોજનાઓની સમીક્ષા બેઠક સાંસદની ઉપસ્થિતિમાં યોજાઈ

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video