સોમનાથ મહાદેવના ભક્તો માટે ખુશખબર છે. શ્રદ્ધાળુઓ હવેથી મહાદેવની પૂજા-અર્ચના કરી શકશે. ભાવિકો 21 રૂપિયાથી લઈ 21 લાખ સુધીની પૂજા કરી શકશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને વિધિવત પૂજન સાથે પાદ્ય અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાદ્ય સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાદ્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે અને સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરાશે.
આ પાદ્ય પૂજા પ્રારંભે તમામ અધિકારીઓ, કર્મચારીઓએ સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી હતી. આ બિલ્વપૂજાનો લાભ લેવા માટે મંદિરની વેબસાઈટ પર જઈને અથવા 080-690-799-21 નંબર પર મિસકોલ કરીને સરળતાપૂર્વક વોઈસ રજિસ્ટ્રેશન માધ્યમથી નોંધણી થઈ શકશે.
Published On - 9:28 am, Mon, 23 January 23