Ahmedabad : ભાજપની ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ, વિધાનસભા ચૂંટણી રોડમેપ સહિત આ મુદ્દા પર થશે ચર્ચા

|

May 16, 2022 | 8:06 AM

આજની ચિંતન શિબિરમાં ભાજપ આગામી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનો (Gujarat Assembly Election) રોડમેપ તૈયાર કરવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) પૂર્વે રવિવારથી ભાજપની (BJP) બે દિવસીય ચિંતન બેઠક અમદાવાદ(Ahmedabad) જિલ્લાના બાવળા ખાતે કેન્સવિલે કલબમાં યોજાઈ છે.તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય નેતાઓના માર્ગદર્શનના નેતૃત્વમાં આ ચિંતન બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા સુધીર ગુપ્તા સહિતના નેતાઓની હાજર રહ્યા હતા. જ્યારે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (CR Patil)અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. આ ચિંતન બેઠકમાં બે દિવસ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આગામી ચૂંટણી સુધીની યોજના માટે ભાજપની ચિંતન બેઠક યોજાઈ છે.

વિપક્ષની રણનીતિને તોડવા સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી

મિશન 2022 માટે ગુજરાતમાં ભાજપની ચિંતન શિબિરનો (BJP Chintan Shibir)આજે બીજો અને અંતિમ દિવસ છે.આજની ચિંતન શિબિરમાં ભાજપ દ્વારા આગામી 2022ની વિધાનસભા ચૂંટણીનો રોડમેડ તૈયાર કરવામાં આવશે.સાથે સાથે ભાજપ દ્વારા બેઠકનું સરવૈયું પણ જાહેર કરવામાં આવશે.મહત્વનું છે કે ચિંતન શિબિરના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની(Amit Shah)  હાજરીમાં ચૂંટણીલક્ષી મંથન કરવામાં આવ્યું હતું.બે દિવસીય ચિંતન શિબિરમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના સાત મહિનાના કામકાજની સમીક્ષા કરવામાં આવી હતી.ઉપરાંત બેરોજગારી, મોંઘવારી, એન્ટી ઈન્કમબન્સી, વિપક્ષની રણનીતિને તોડવા સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.

Published On - 7:44 am, Mon, 16 May 22

Next Video