સુરેન્દ્રનગરમાં વ્યાજ બાબતે યુવકનું અપહરણ, પોલીસે બે આરોપીને ઝડપ્યા

|

Nov 02, 2023 | 11:39 PM

યુવકે આ બંને આરોપી પાસેથી રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા. યુવકનું કહેવું છે કે, તે રૂપિયાની ચૂકવણી પણ નિયમિત કરતો હતો. છતાં દાદાગીરી કરીને આરોપીઓ યુવકને ઘરેથી જ ઉઠાવી ગયા અને સીટી બી ડિવિઝન પાસે આવેલા કોમ્પલેક્સની ઓફિસમાં લઇ જઇને ગોંધી રાખ્યો હતો

સુરેન્દ્રનગરમાં એક યુવકનું અપહરણ કરીને ઢોર માર મારવાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અપહરણ કરનાર બંને શખ્સોને ઝડપી લીધા છે. આરોપીઓનું નામ પૃથ્વીસિંહ ગોહિલ અને અજિતસિંહ ચાવડા હોવાનું સામે આવ્યું છે. 2 નવેમ્બરની મોડી રાતે આ બંને આરોપીએ જયંત શાહ નામના યુવકનું અપહરણ કર્યું હતું.

આ પણ વાંચો વીડિયો: પાટડીની સરકારી હોસ્પિટલના વોર્ડમાં સાપ દેખાતા દર્દીઓમાં ફફડાટ

યુવકે આ બંને આરોપી પાસેથી રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા. યુવકનું કહેવું છે કે, તે રૂપિયાની ચૂકવણી પણ નિયમિત કરતો હતો. છતાં દાદાગીરી કરીને આરોપીઓ યુવકને ઘરેથી જ ઉઠાવી ગયા અને સીટી બી ડિવિઝન પાસે આવેલા કોમ્પલેક્સની ઓફિસમાં લઇ જઇને ગોંધી રાખ્યો હતો. જે બાદ યુવકને ઢોર માર માર્યો હતો. સમગ્ર મામલે યુવકની પત્નીએ પોલીસને ટેલિફોનિક જાણ કરી હતી. જે બાદ પોલીસે યુવકને છોડાવી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.

Next Video