શામળાજીમાં અગિયારસથી જ મેળાની શરુઆત થતી હોય છે. કાર્તકી પૂર્ણિમાનુ વિશેષ મહત્વ હોવાને લઈ આદિવાસી સમાજ ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાંથી અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. પાંચ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને વૈષ્ણવ સમાજના લોકો દર્શન કરવા માટે શામળાજી આવતા હોય છે.
ભગવાન શામળાજીને સ્થાનિકો કાળિયા ઠાકર તરીકે માને છે અને તેના દર્શન અચૂક કરવા માટે આ દિવસોમાં આવે છે. ભક્તોની ભીડ પૂનમને લઈ મોટી સંખ્યામાં ઉમટી હતી. આ દરમિયાન અહીં મેશ્વો નદીમાં આવેલ નાગધરાના કૂંડમાં સ્નાન કરીને પિતૃ મોક્ષ કરવાની માન્યતા છે. અહીં સ્ત્રીઓ અને પુરુષો અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે કૂંડમાં સ્નાન કરવા માટે ડૂબકી લગાવતા હોય છે. ભગવાન શામળિયાને વિશેષ શણગાર પૂનમને લઈ કરવામાં આવતો હોય છે.
દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ પણ કાર્તકી પૂર્ણિમાએ દર્શન કરવા માટે શામળાજી પહોંચ્યા હતા. તેઓએ પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાના દર્શન કરીને લોક કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.
Published On - 5:48 pm, Mon, 27 November 23