JAMNAGAR RAIN : કાલાવાડ અને ગ્રામ્યપંથકોમાં આભ ફાટયું, અલિયાબાડા અને બાંગા ગામ બેટમાં ફેરવાયા

|

Sep 13, 2021 | 1:07 PM

જામનગરમાં વરસાદને પગલે વિજરખી ડેમમાં નવા નીરની આવક થઇ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં જામનગર-કાલાવડ હાઈ-વે બંધ થયો છે. કોઝ-વે પરથી 4 ફૂટથી વધુ પાણીનું વહેણ હોવાથી વાહનવ્યહાર બંધ કરાયો છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર સજ્જ થયું છે. ભારે વરસાદને પગલે જામનગર જીલ્લામાં બે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 1 એનડીઆરએફની ટીમ અને 1 એનડીઆરએફની ટીમ જામનગર માટે રવાના કરાઇ છે. એનડીઆરએફની એક ટીમ કાલાવડ અને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં જશે. જયારે ફાયરની રેસ્ક્યુ ટીમ અલિયાબાડામાં તૈનાત કરાઈ છે.

જામનગરમાં વરસાદને પગલે વિજરખી ડેમમાં નવા નીરની આવક થઇ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં જામનગર-કાલાવડ હાઈ-વે બંધ થયો છે. કોઝ-વે પરથી 4 ફૂટથી વધુ પાણીનું વહેણ હોવાથી વાહનવ્યહાર બંધ કરાયો છે.

જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જામનગર રણજીતસાગર જવાના રસ્તા પર ઈવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર 4 ફુટથી વધુ પાણીનો વહેણ વહી રહ્યું છે. જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ રહી છે.

જામનગર નજીકનું અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયું છે. અલિયાબાડા ગામ બેટમાં ફેરવાતા ફાયરની ટિમ તૈનાત કરાઈ છે. ફાયરની ટીમે 25 લોકોનું રેસ્ક્યુ કર્યુ છે. હજુ પણ સ્થિતિ સ્ફોટક, વધુ રેસ્ક્યુ કરવાની તાતી જરૂરીયાત છે. એરફોર્સના હેલીકોપ્ટરની મદદ લેવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.

તો જામનગરના કાલાવડ તાલુકાનુ બાંગા ગામ પણ બેટમાં ફેરવાયું છે. બાંગા ગામના અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવાયા છે. ભારતીય હવાઇ દળનું હેલિકોપ્ટર કામે લાગ્યું છે

ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ગામમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઇ ગયા હતા. ગામડામાં પાણી ભરાઈ જતા લોકો બીજા માળે ચડી ગયા હતા અને કેટલાય ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. આ પ્રકારનો વરસાદ ઇતિહાસમાં પહેલી વાર વરસ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

Next Video