Gujarati Video: જોધપુરના લાપીનોઝ પિત્ઝાના બોક્સમાંથી નીકળ્યો મરેલો વંદો, બ્રાંચ મેનેજરને ફરિયાદ કરતા આપ્યો ઉડાઉ જવાબ

|

Sep 24, 2023 | 2:26 PM

અમદાવાદમાં જ્યાં એક જ સપ્તાહમાં બીજી વાર પિત્ઝામાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. જ્યાં જોધપુરની લાપીનોઝની આઉટલેટમાં પિત્ઝાના બોક્સમાંથી મરેલો વંદો નીકળ્યો છે. મહિલાએ ફરિયાદ કરતા બ્રાંચ મેનેજરે ઉડાઉ જવાબ આપ્યાનો આરોપ લાગ્યો છે.તો આ પહેલા અમદાવાદમાં પિત્ઝામાં બેદરકારી સામે આવી હતી. ચાલુ સપ્ટેમ્બર મહિનામાં જ પિત્ઝામાં જીવાત નીકળવાની આ ત્રીજી ઘટના છે. આ પિત્ઝા પ્રેમીઓને નિરાશ કરી શકે છે.

Ahmedabad : પિત્ઝાના શોખીનો માટે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફરી એકવાર લાપીનોઝ પિત્ઝાની બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં જ્યાં એક જ સપ્તાહમાં બીજી વાર પિત્ઝામાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. જ્યાં જોધપુરની લાપીનોઝની આઉટલેટમાં પિત્ઝાના બોક્સમાંથી મરેલો વંદો નીકળ્યો છે. મહિલાએ ફરિયાદ કરતા બ્રાંચ મેનેજરે ઉડાઉ જવાબ આપ્યાનો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો :Ahmedabad: ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈને અપનાવ્યો આંદોલનનો રસ્તો, અમદાવાદ, સુરત, મહેસાણા અને મહિસાગરમાં મૌન રેલી દ્વારા દેખાવો

તો આ પહેલા અમદાવાદમાં પિત્ઝામાં બેદરકારી સામે આવી હતી. ચાલુ સપ્ટેમ્બર મહિનામાં જ પિત્ઝામાં જીવાત નીકળવાની આ ત્રીજી ઘટના છે. આ પિત્ઝા પ્રેમીઓને નિરાશ કરી શકે છે. પિત્ઝામાં ક્યાંક જીવડા, તો ક્યાંક વંદો નીકળ્યાની ઘટના બની છે. આ ત્રણેય ઘટના અમદાવાદની છે. જ્યાં વર્ષે દહાડે શહેરીજનો કરોડોના પિત્ઝા ખાય છે. અહીં સવાલ એ સર્જાય કે કરોડોની આવક છતાં પિત્ઝાની ગુણવત્તા સામે સમાધાન કરાય છે. કેમ પિત્ઝાની બનાવટ સમયે યોગ્ય ધ્યાન નથી આપવામાં આવતું. ક્યારે અટકશે પિત્ઝામાંથી જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video