વિરમગામમાં ભોજવા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં મસમોટુ ગાબડુ, ખેતરમાં ફરી વળ્યુ પાણી- વીડિયો

વિરમગામમાં ભોજવા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં મસમોટુ ગાબડુ, ખેતરમાં ફરી વળ્યુ પાણી- વીડિયો

| Edited By: | Updated on: Nov 25, 2023 | 11:26 PM

અમદાવાદ: વિરમગામમાં ભોજવા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં ગાબડુ પડ્યુ છે. ગોરૈયા શાખાની નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડુ પડ્યુ છે. ગાબડુ પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યુ જેના કારણે કપાસ અને એરંડાના ઉભા પાકને નુકસાન થયુ છે.

રાજ્યમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. જેમાં વધુ એક નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદ જિલ્લામાં વિરમગામના ભોજવા ગામ પાસે પસાર થતી માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. ગોરૈયા શાખાની નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું અને કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું. જેના કારણે આશરે 10 વિઘા જમીનમાં કપાસ અને એરંડાના ઉભા પાકને નુકસાનની થવાની ભીતિ છે.

આ પણ વાંચો: ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમામા ત્રણ દિવસમાં નોંધાયા રેકોર્ડ બ્રેક યાત્રિકો, તૂટ્યો ગત વર્ષનો રેકોર્ડ- વીડિયો

વારંવાર પડતા ગાબડાને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે. કેનાલનું પાણી કપાસ અને એરંડાના પાકમાં ફરી વળ્યુ છે. તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us