દેશના મોરચે સુરત શહેરનો ડંકો, ભારતીય નૌકાદળમાં INS SURATને જોડી દેવાતા દુશ્મન થરથર કાંપશે !

|

May 17, 2022 | 7:58 AM

Surat : આ યુદ્ધ જહાજ પર ચાર ઇન્ટરસેપ્ટર બોટની સાથે 50 અધિકારી અને 250 નૌસૈનિક રહી શકે છે. INS સુરત એક વખતમાં 7400 કિલોમીટરની યાત્રા કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે.

INS Surat : આજે ભારતીય નૌસેના (Indian Navy) વધુ શક્તિશાળી બનશે, કારણ કે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ(Defense Minister Rajnath Singh)  INS સુરતને આજે ભારતીય નૌસેનાને સમર્પિત કરશે.તમને જણાવી દઈએ કે, સંરક્ષણ પ્રધાન આજે મુંબઇના મઝગાંવ ડોકયાર્ડથી આ નવા વિધ્વંસકને ભારતીય નૌસેનાને સમર્પિત કરશે.આ યુદ્ધજહાજનું નામ સુરત શહેરના(Surat City)  નામ પર INS સુરત રાખવામાં આવ્યું છે.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ આ યુદ્ધજહાજને દેશના પૂર્વી તટ પર વિશાખાપટ્ટનમમાં તહેનાત કરવામાં આવશે. મહત્વનું છે કે, સુરત છેલ્લા કેટલાક વર્ષોથી કોસ્ટ ગાર્ડ માટે જહાજ અને બોટનું નિર્માણ કરી રહ્યું છે.

INS સુરત વિશાખાપટ્ટનમ ક્લાસ વિનાશક સીરિઝનું અંતિમ વિનાશક

હવે જો INS સુરતની ખાસિયતની વાત કરીએ તો, INS સુરત વિશાખાપટ્ટનમ ક્લાસ વિનાશક સીરિઝનું અંતિમ વિનાશક છે. જે 7400 ટનનું છે. જેની લંબાઇ 163 મીટર અને ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની હશે.આ યુદ્ધજહાજ પર ચાર ઇન્ટરસેપ્ટર બોટની સાથે 50 અધિકારી અને 250 નૌસૈનિક રહી શકે છે. INS સુરત એક વખતમાં 7400 કિલોમીટરની યાત્રા કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે. INS સુરત પર બરાક, બ્રહ્મોસ, એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, તોપ સહિત અનેક અત્યાધુનિક હથિયારો તહેનાત કરી શકાય છે.

Published On - 7:56 am, Tue, 17 May 22

Next Video