Rajkot : પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીએ જીવન ટૂંકાવ્યુ,સુસાઈડ નોટમાં થયો ચોંકાવનારો ખુલાસો

|

May 14, 2022 | 11:33 AM

રાજકોટ શહેરમાં(Rajkot City) ) રહેતા દિપાલી નામની યુવતીએ પૂર્વ પ્રેમીના ત્રાસથી પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગઈ છે.

રાજકોટ શહેરમાં(Rajkot)  એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા દિપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીએ નજીવી બાબતે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલાની યુનિવર્સિટી પોલીસને જાણ થતા જ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસને (Rajkor Police) હાલ દિપાલીએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે.

શું લખ્યું છે સુસાઈડ નોટમાં ?

યુનિવર્સિટી પોલીસે કબજે કરેલ સુસાઈડ નોટમાં દિપાલીએ જણાવ્યું છે કે, હું આપઘાત કરું છું, મને સુસાઈડ માટે મજબૂર સુનિલ કુકડીયાએ કરી છે. એને મને ધમકી આપી છે. સોરી પાપા – દિપાલી

સમગ્ર મામલે મૃતક દિપાલીના પિતા રાજુભાઇ પરમારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા સુનીલ રસિકભાઈ કુકડીયા સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યોગાનું યોગ હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે જે દિવસે આપઘાત કર્યો છે. તેના આગલા જ દિવસે સુનિલ ની જાન પાટણવાવ ખાતે ગઈ હતી. દિપાલીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા વિવાહિત જોડું ઘરેથી ભાગી ગયાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.

પોલીસે હાલ ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ એક સમયે સુનીલ અને દિપાલી વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ કોઇ કારણોસર સુનિ ની સગાઈ પાટણવાવ ખાતે અન્ય યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ પણ સુનિલ દિપાલીને સંબંધ રાખવા મજબૂર કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સગાઈ બાદ પણ દિપાલી ને માર મારી હોવાનું તેમજ દિપાલી અને તેના માતા-પિતાને ગાળો આપી શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું પણ સામે આવ્યુ છે.ત્યારે પોલીસે હાલ ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.

 

Published On - 9:57 am, Sat, 14 May 22

Next Video