Gujarati video: અમદાવાદના માણેકચોક ખાણીપીણી બજારમાં ફરી મુકાયા ટેબલ ખુરશી

વેપારીનું કહેવું છે કે અમારે વેપારીઓ વચ્ચે કોઇ આતંરિક વિવાદ નોહતો. અહીંના સ્થાનિકોની કેટલીક મુશ્કેલીને કારણે પોલીસે ખુરશી હટાવવા કહ્યું હતું પરંતુ હવે શાંતિથી અને કોઇને નડતર રૂપ ન થાય તેમ બજારમાં ખુરશી ટેબર રાખવા તેવી બાંહેધરી બાદ પોલીસ સાથે સમાધાન થયું છે. હવે સમાધાન થતાં ફરી બજાર ધમધમતુ થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 12:02 AM

અમદાવાદ શહેરની એક આગવી ઓળખ એવા માણેકચોક બજારમાં રોનક પાછી ફરી છે અને  છેલ્લા પાંચ દિવસના વિવાદ બાદ ફરી માણેકચોક બજાર ધમધમતું થયું છે. બજારમાં ફરી ટેબલ ખુરશી મુકાતા મોટી સંખ્યામાં લોકો ખાણીપીણી માટે ઉમટ્યાં હતા.   માણેકચોક વિવાદ અંગે પોલીસની દરમિયાનગીરી બાદ સમાધાન થયું છે. જેને લઇ ખાણીપીણી બજાર રાબેતા મુજબ શરૂ થયું છે.

મહત્વનું છે કે છેલ્લા 5 દિવસથી માણેકચોકની રોનક ફિક્કી પડી હતી અને માણેકચોકમાં ખાવા આવતા લોકો ટેબલ ખુરશી વિના નીચે બેસીને જમવા મજબૂર બન્યાં હતા. તો કેટલાક તો ટેબલ ખુરશી ન જોતા ખાધા વિના જ પરત ફરી રહ્યા હતા. જો કે હવે સમાધાન થતાં ફરી બજાર ધમધમતુ થયું. તો વેપારીનું કહેવું છે કે અમારે વેપારીઓ વચ્ચે કોઇ આતંરિક વિવાદ નોહતો. અહીંના સ્થાનિકોની કેટલીક મુશ્કેલીને કારણે પોલીસે ખુરશી હટાવવા કહ્યું હતું પરંતુ હવે શાંતિથી અને કોઇને નડતર રૂપ ન થાય તેમ બજારમાં ખુરશી ટેબર રાખવા તેવી બાંહેધરી બાદ પોલીસ સાથે સમાધાન થયું છે.

શું હતી ઘટના?

અમદાવાદની રોનક ગણાતા મણેકચોક ખાણીપીણી બજારમાં  છેલ્લા થોડા દિવસથી વિવાદ ઉભો થયો હતો.  દિવસ  દરમિયાન સોના-ચાંદીની દુકાનોથી ધમધમતા  પ્રખ્યાત માણેકચોકમાં  રાત પડતાં જ ખાણીપીણી બજાર શરૂ થઈ જાય છે. છેલ્લા 60 કરતા પણ વધુ વર્ષથી અહીં લોકો રાત પડે તે સાથે જ ચટાકેદાર સ્ટ્રીટ ફૂડનો ચટકારો લેવા પહોંચી જતા હોય છે.  પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસે વર્ષોથી અહીં ધંધો કરતા લોકોને રસ્તા પર ટેબલ-ખુરશી ન મૂકવા માટે આદેશ આપી દીધો  હતો.  જેના કારણે માણેકચોકમાં ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ રસ્તા પર તાડપત્રી પાથરીને ગ્રાહકોને જમાડી રહ્યા  હતા

અને અહીં પરિવાર સાથે આવતા લોકોનેે પણ બેસવામાં તકલીફ પડી રહી હતી. ખાસ કરીને ઉંમરલાયક લોકોને. જોકે વિવાદનો સુખ અંત આવતા ફરીથી અહીં  લોકો ટેબલ ખુરશી ઉપર બેસીને જમતા જોવા મળ્યા હતા.

મોડી રાત સુધી ચાલતું ખાણીપીણીનું બજાર

માણેકચોકનું બજાર એવું છે જે મોડી રાત સુધી ચાલુ રહે છે, અને  અમદાવાદના  લોકો પોતાને ત્યાં આવતા બહારગામના તેમજ દેસ વિદેશના મહેમાનોને આ બજારના ફૂડની લિજ્જત માણવા લઇને આવતા હોય છે  તેજમ અમદાવાદીઓ  પણ વારે તહેવારે તેમજ વીકએન્ડમાં માણેકચોકની મુલાકાત લેતા હોય છે.

 

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">