Gujarati Video: છોટાઉદેપુરના ગોઝારીયા શિક્ષણ સંકુલના રસોડામાં ગંદકીના ઢેર, વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું અપાય છે ભોજન

Chhota Udepur: કવાંટ તાલુકામાં આવેલ ગોજારીયા શિક્ષણ સંકુલની પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ આકસ્મિક મુલાકાત લીધી તો ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યા. અહીં રસોડામાં ગંદકીના ઢેર જોવા મળ્યા, વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું બિનઆરોગ્યપ્રદ ભોજન આપવામાં આવી રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 10:47 PM

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું ગોઝારીયા શિક્ષણ સંકુલ હાલ વિવાદોમાં આવ્યું છે. આ સંકુલમાં મોડેલ સ્કૂલ નિવાસી શાળા સહિત 6 શાળાઓના 2300થી વધુ આદિવાસીઓ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ આ શાળા સંકુલની આકસ્મિક મુલાકાત લીધી તો ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી રહેવા અને જમવા પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે છતાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય જયંતિ રાઠવાની મુલાકાતમાં વિદ્યાર્થીઓને જાડી અને સૂકી રોટલી સાથે કાચું શાક આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

રસોડા સામે જ ખાળકૂવો ઉભરાતો હોવાથી દુર્ગંધનું સામ્રાજ્ય

આટલું જ નહીં પણ રસોડામાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. બાળકોને આપવામાં આવતા  બિનઆરોગ્યપ્રદ ભોજનને કારણે તેમના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે. રસોડાની પાછળ જ એઠવાડ નાખવામાં આવે છે, અહીં જ ખાળકુવો પણ ઉભરાઈ રહ્યો છે, જેને કારણે દુર્ગંધનું સામ્રાજ્ય ઉભું થયું છે.

ખુદ ભાજપના આદિવાસી ધારાસભ્ય જયંતિ રાઠવાએ વિરોધ દર્શાવવા કેમ્પસમાં ધરણા પર બેસી ગયા હતા. ધારાસભ્યએ અધિકારીઓ, શાળા સંચાલકો અને ઈજારદારો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.

વિદ્યાર્થિનીઓ જણાવે છે કે ભોજનાલયમાં લાઈટ પંખા નથી અને જમતી વખતે એટલુ અંધારૂ હોય છે કે ખબર પણ નથી પડતી કે શું ખાઈએ છીએ. ક્યારેક જમવામાં ઈયળ જેવી જીવાત પણ આવી જાય છે. તો ક્યારેક પીવાનુ પાણી પણ મળતુ  નથી.

આ પણ વાંચો:  Gujarati Video : છોટાઉદેપુરના કુકરદા ગામની ઘટના, 108 હોસ્પિટલ પહોંચે તે પહેલા જ એમ્બ્યુલન્સમાં મહિલાએ આપ્યો બાળકને જન્મ

ધારાસભ્ય જયંતિ રાઠવાએ સીધો આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ દેખરેખ ન રાખવાને કારણે એજન્સીઓ બેફામ રીતે વર્તી રહી છે, તેના કારણે આ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ છે. જયંતિ કવાડિયાએ એજન્સીઓને રદ્દ કરવા માટે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. તેમની માગ છે કે જ્યાં સુધી બેદરકારી દાખવતી એજન્સીને રદ નહીં કરાય ત્યા સુધી તેઓ પ્રતિક ઉપવાસ શરૂ રાખશે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">