આજે જૂનાગઢ મહાનગર પાલિકાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. કુલ રૂપિયા 828 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેને મંજૂરી મળી હતી. આ બજેટમાં જૂનાગઢવાસીઓ પર વધુ એક વેરાનો બોજ ઝીંકવામાં આવ્યો છે. શહેરીજનોને હવે મિલકત વેરો વધુ ભરવો પડશે.
જૂનાગઢ મહાનગર પાલિકાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં મિલકત વેરામાં નજીવો વધારો ઝીંકાયો છે તો પાણીવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી .રૂપિયા 828 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. કમિશનરે સૂચવેલા કરવેરામાં ફેરફાર કરાયો છે.
જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની ફરી એક વાર રોપ-વે (Rope Way) સેવા બંધ રાખવામાં આવી છે. વહેલી સવારથી ભારે પવન હોવાના કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. પ્રતિ કલાકે 65 કિ.મી.ની ઝડપે પવનની ગતિ હોવાના પગલે રોપ-વે સેવા હાલ પુરતી બંધ કરવામાં આવી છે. જેના પગલે ભક્તોને પગથિયા ચડીને જ ગિરનાર પર જવાની ફરજ પડી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ વે સેવા ખોરવાતા મુસાફરોની ભારે હાલાકી થઈ રહી છે. જો કે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. પ્રતિ કલાકે 65 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાના પગલે રોપ વે સેવા બંધ રહેતા ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ગિરનાર પર્વત ન ચઢી શકતા મોટી ઊંમરના લોકો તેમજ બાળકોને લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.