Junagadh : જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થવાના કારણે 4 લોકોનાં મોત થયા.જેમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો.આ દુર્ઘટનામાં રીક્ષા નીચે કચડાતા બે પુત્રો અને પતિનું મોત નિપજ્યું છે. તેના આઘાતમાં મૃતક સંજય ડાભીના પત્નીએ એસીડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
જેના કારણે પરિવારજનો પર આભ ફાટ્યું છે.મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ત્યારે મહિલાના ભાઈએ પણ પરિવાર સાથે સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારી છે..ત્યારે સમગ્ર પરિવાર ન્યાય માટે અરજ કરી રહ્યો છે.પરિવારની માગ છે કે કમિશનર અને ટીપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે.
જેમાં મહિલાના ભાઈનો આક્ષેપ છે કે કમિશનર અને ટીપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ ન લેતા બહેને આ પગલું ભર્યું. આ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.