Gujarat Election 2022 : મોરબી દુર્ઘટના પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, જવાબદારો સામે કેમ કાર્યવાહી નહીં ?

|

Nov 21, 2022 | 8:13 PM

રાહુલ ગાંધીએ મોરબી ટ્રેજડી ભાજપ સરકાર પર વાર કર્યો હતો.મોરબી દુર્ઘટના પર રાહુલ ગાંધીએ આખરે મૌન તોડ્યું છે. રાજકોટની સભામાં રાહુલ ગાંધીએ મોરબી દુર્ઘટનાને લઈ સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો.. તેમણે સવાલ કર્યો કે, 150 લોકો મર્યા તેના પર રાજનીતિ ન થવી જોઈએ પરંતુ પુલ બનાવનારા આજદિન સુધી પકડાયા નથી.

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત સુરતથી કરી અને તેની બાદ હવે તેવો રાજકોટ પહોંચ્યા હતા.  રાહુલ ગાંધીએ મોરબી ટ્રેજડી ભાજપ સરકાર પર વાર કર્યો હતો.મોરબી દુર્ઘટના પર રાહુલ ગાંધીએ આખરે મૌન તોડ્યું છે. રાજકોટની સભામાં રાહુલ ગાંધીએ મોરબી દુર્ઘટનાને લઈ સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો.. તેમણે સવાલ કર્યો કે, 150 લોકો મર્યા તેના પર રાજનીતિ ન થવી જોઈએ પરંતુ પુલ બનાવનારા આજદિન સુધી પકડાયા નથી.ચોકીદારોને પકડીને અંદર કર્યા, પણ જવાબદારોના ભાજપ સાથે સારો સંબંધ, એટલે શું કંઈ નહીં થાય..?

જેમાં રાહુલ ગાંધીએ કોંગ્રસે શરૂ કરેલી ભારત જોડો યાત્રાને ગુજરાત સાથે સાંકળી હતી. તેમજ કહ્યું હતું કે ભારત જોડો યાત્રાની પ્રેરણા અમને  ગુજરાતથી મળી છે. મહાત્મા ગાંધીમાંથી અમને પ્રેરણા મળી છે. તેમજ મને એ વાતનું દુખ છે કે ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી પસાર નથી થતી.

ભારત જોડો યાત્રા કન્યા કુમારીથી શ્રીનગર સુધી જશે

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા અમે ખેડૂતો, યુવાનો અને મહિલા તથા નાના વેપારીઓ સાથે મુલાકાત કરીએ છીએ. જેમાં તેવો પોતાની સમસ્યાઓ અંગે જણાવે છે. ભારત જોડો યાત્રા કન્યા કુમારીથી શ્રીનગર સુધી જશે. તેમજ કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. આ યાત્રા 3500 કિલોમીટરની યાત્રા છે. જેમાં અનેક લોકો ખેડૂતો, નાના વેપારી અને મહિલાઓ સાથે ચર્ચા થઇ રહી છે. ટીવી પર પર આટલું બતાવવામાં આવતું નથી. સવારે 6 વાગે યાત્રા શરૂ થાય છે અને રાત્રે 8. 30 વાગે સમાપ્ત થાય છે.

Next Video