Gandhinagar : ગુજરાતભરમાં મોબાઇલ વિક્રેતાના ત્યાં GST વિભાગના દરોડા, બિલ વગરના મોબાઇલ મળી આવ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Oct 23, 2023 | 9:44 AM

ગુજરાતભરમાં મોબાઈલ ફોન વિક્રેતાઓ પર સ્ટેટ GST વિભાગે દરોડા (GST Raid) પાડ્યા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભુજના 79 મોબાઈલ વિક્રેતા પર દરોડા પાડવામાં આવ્યા. જે દરમિયાન 22 કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કર્યાનું કૌભાંડ સામે આવ્યું છે. તો તપાસ દરમિયાન 500થી વધુ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા. વેપારીઓ દ્વારા કંપનીના મોબાઈલ ફોનની ખરીદી ટેક્સ ઈનવોઈસથી કરાતી હતી.

Gandhinagar : ગુજરાતભરમાં મોબાઈલ ફોન વિક્રેતાઓ પર સ્ટેટ GST વિભાગે દરોડા (GST Raid) પાડ્યા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભુજના 79 મોબાઈલ વિક્રેતા પર દરોડા પાડવામાં આવ્યા. જે દરમિયાન 22 કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કર્યાનું કૌભાંડ સામે આવ્યું છે. તો તપાસ દરમિયાન 500થી વધુ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા.

વેપારીઓ દ્વારા કંપનીના મોબાઈલ ફોનની ખરીદી ટેક્સ ઈનવોઈસથી કરાતી હતી. જે બાદ રોકડેથી બિલ વગર વેચાણ કરી ફોનની વેરાશાખનો ઉપયોગ ગ્રે-માર્કેટમાંથી ખરીદેલા ફોનના વેચાણના ભરવાપાત્ર વેરા માટે કરાતો હતો. આમ વેપારીઓ દ્વારા આયોજનબદ્ધ કર ચોરી આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. GST વિભાગ દ્વારા 3 કરોડની વસુલાત સાથે 500 મોબાઈલ જપ્ત કરાયા છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો