Banaskantha : ડીસા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રેલરના ડ્રાઈવર સહિત બે લોકોના મોત

|

May 31, 2022 | 9:51 AM

પાલનપુર (Palanpur) તરફથી આવતા બ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો હતો.

બનાસકાંઠાના ડીસા ઓવરબ્રિજ (Deesa Overbridge) પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. વિરુદ્ધ દિશામાં આવી રહેલી ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં(Accident)  ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનરનુ ઘટનાસ્થળે જ મોત થયુ છે. તમને જણાવી દઈએ કે, પાલનપુર તરફથી આવતા બ્રિજ પર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.પોલીસે ક્રેનની મદદથી ફસાયેલ મૃતદેહ બહાર કાઢ્યા હતા.મળતી માહિતી મુજબ માર્કેટયાર્ડમાં જવા માટે જીરું- ઇસબગુલ ભરેલ ટ્રક ચાલક રોંગ સાઈડમાં આવતા આ અકસ્માત સર્જાયો હતો.

જેતપુરમાં પુર ઝડપે આવતી કારે 2 બાઇકને અડફેટે લીધી

જેતપુરના (Jetpur) નકલંગ આશ્રમ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુર ઝડપે આવતી કારે 2 બાઇકને અડફેટે લેતા બાઈક સવારને ગંભીર ઈજા પહોંચી હતી.એટલું જ નહીં બાઇકને અડફેટે લેતા બંને બાઈક ખેતરમાં ફંગોળાઈ હતી. સાથે જ રોડ પર સાઈડ પર બેઠેલા લોકોને પણ આ બેકાબુ કારે અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્તોને હાલ જેતપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત

બે દિવસ પહેલા મહિસાગર (Mahisagar) જિલ્લાના લુણાવાડામાં ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈક પર સવાર ચાર લોકોને કચડયા હતા, જેમાં એક પુરુષ-મહિલા અને બે બાળકોના મૃત્યુ થયા હતા. એક જ પરિવારના પતિ પત્ની અને બે બાળકોના મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી. ઘટનાની જાણ થતા જ લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાળમુખા ટ્રકે ચાર લોકોનો ભોગ લેતા લોકોમાં પારાવાર રોષ જોવા મળ્યો હતો.

Next Video