પાટણ જિલ્લામાં ક્લેકટર સહિત જિલ્લા તંત્ર દ્વારા આદર્શ આચરસંહિતાના અમલ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. શનિવારે રાષ્ટ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી જાહેર કરવા સાથે જ આચાર સંહિતા લાગુ થઇ હતી. આ સાથે જ પાટણ જિલ્લા તંત્ર દ્વારા તુરત જ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી અને EVM સ્ટ્રોંગરુમને સીલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં આચારસંહિતાના અમલ માટે રાજકીય હોર્ડિંગ ઉતારવા સહિતની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.
આચારસંહિતતા અમલમાં આવવાને લઈ સરકારની વિવિધ યોજનાઓના હોર્ડિંગ અને બોર્ડને પણ વિવિધ સરકારી કચેરીઓમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લામાં લાગેલા આવા હોર્ડિંગને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.