Ahmedabad : ગુજસીટોકના આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું

|

Sep 23, 2022 | 8:27 PM

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગુજસીટોકના (GUJCTOC) આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. જેમાં પોલીસ અને કોર્પોરેશન તંત્રએ જમાલપુરના નવા લેબર ક્વાટર્સ ખાતે બાંધકામ તોડી પાડ્યું છે.

ગુજરાતમાં અને તેમા ખાસ કરીને અમદાવાદમાં (Ahmedabad) ગેરકાયદે બાંધકામ(Illegal Construction) દૂર કરવા માટે કોર્પોરેશન તંત્ર અને પોલીસ તંત્રએ કામગીરી હાથ ધરી છે. જેમાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગુજસીટોકના (GUJCTOC) આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. જેમાં પોલીસ અને કોર્પોરેશન તંત્રએ જમાલપુરના નવા લેબર ક્વાટર્સ ખાતે બાંધકામ તોડી પાડ્યું છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે AMCએ ડીમોલિશન હાથ ધર્યું હતું. આ કામગીરીમાં 6 આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં 10 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે જે સરકારી જમીનો પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતુ તે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

Published On - 8:14 pm, Fri, 23 September 22

Next Video