Cyclone Biporjoy : વડોદરામાં ચિખોદરા ધનિયાવીમાં તોફાની પવનને કારણે દીવાલ પડતા એક મહિલાનું મોત

Vadodara: વડોદરાના ચિખોદરા ધનિયાવીમાં વાવાઝોડાના કારણે એક મહિલાનું મોત થયુ છે. તેજ ગતિથી પવન ફુંકાતા દીવાલ ધરાશાયી થઈ હતી. મહિલા ઘાસચારો નાખવા ગઈ એ સમયે જ દીવાલ ધરાશાયી થતા મહિલા દીવાલ નીચે દબાતા તેનુ મોત નિપજ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 6:38 PM

Vadodara: રાજ્યમાં બિપરજોય વાવાઝોડા (Cyclone Biporjoy)ની હજુ 36 કલાક સુધી અસર રહેશે. વાવાઝોડાને કારણે વરસાદ અને તોફાની પવન ફુંકાવાનુ શરૂ છે. વડોદરામાં ભારે પવન ફુંકાતા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ નીચે એક મહિલા દબાતા તેનું મોત નીપજ્યુ હતુ. મહિલા તેના પશુઓને ઘાસચારો નાખવા માટે નમી એ જ સમયે દીવાલ ધરાશાયી થતા દીવાલ નીચે દબાતા મહિલાનું મોત થયુ છે. ફાયર બ્રિગેડની ટીમે મહિલાને બહાર કાઢી હતી. જો કે હોસ્પિટલ લઈ જતા પહેલા જ મહિલાનું મોત નીપજ્યુ હતુ.

આ પણ વાંચો : Ambaji માં પણ Cyclone Biparjoyની અસર વર્તાઇ, ભારે વરસાદ બાદ ગબ્બર દર્શન માટે બંધ કરાયો

શહેરમા નાગરવાડા વિસ્તારમાં આવેલ વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકોને ઈજા પહોંચી છે. મહાનગરપાલિકા વોર્ડ નંબર 7ની ઓફિસ પાસે વડનું વિશાળકાળ વૃક્ષ એકાએક ભારે પવન ફુંકાતા ધરાશાયી થયુ હતુ. વૃક્ષ ત્રણ લોકો પર પડતા તેમને ભારે ઈજા પહોંચી છે. એક રિક્ષા અને બે ટુવ્હીલર વાહનોને પણ વૃક્ષ પડતા નુકસાન પહોંચ્યુ છે. વૃક્ષ પડી જતા નાગરવાડા જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે જઈ રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. તેમજ વૃક્ષો કાપી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. જો કે બીજી તરફ ઈજાગ્રસ્ત થયેલા લોકોનો આરોપ છે કે વૃક્ષ જોખમી સ્થિતિમાં હોવાની અનેકવાર અરજી કર્યા છતા તંત્ર દ્નારા કોઈ ધ્યાન દેવામાં આવ્યુ ન હતુ.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">