આઇઆઇએમ ( IIM) અમદાવાદનો (Ahmedabad) ઈન્ટરનેશનલ લોગો(Logo) બદલવાને લઇને વિવાદ વકર્યો છે. જેમાં IIM અમદાવાદનો બે લોગો બનાવવાનો નિર્ણય વર્તમાન ડાયરેક્ટર એરલ ડિસોઝાએ કર્યો છે. સંસ્કૃત શબ્દો કાઢીને ઇન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. તો બીજીબાજુ ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર લોગો બદલવામાં આવતા ફેલક્ટી કાઉન્સીલે તેનો વિરોધ કર્યો છે. તેમજ સંસ્કૃત શબ્દો ન કાઢવા જણાવાયું છે. IIM-Aના 48 અધ્યાપકોએ આ મામલે ડાયરેકટરને પત્ર લખીને વિરોધ કર્યો છે અને નિર્ણય પરત ખેંચવા માંગણી કરી છે.IIM-Aના લોગોમાં સંસ્કૃતમાં લખાયું છે ‘વિદ્યાવિનિયોગાદ્વિકાસ’ જેનો અર્થ થાય છે જ્ઞાન વહેંચવાથી વધે છે. આ શબ્દ હટાવીને ઈન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર કરાતા પૂર્વ ડાયરેક્ટર ડોક્ટર બકુલ ધોળકીયાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
1961માં વિક્રમ સારાભાઈએ જ્યારે આ સંસ્થા સ્થાપી હતી. ત્યારે આ લોગો આપ્યો હતો.અને ત્યારથી જ ડોમેસ્ટિક કે ઈન્ટરનેશનલ સ્તરે આ લોગો યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે ઈન્ટરનેશનલ સ્તરે અલગથી લોગો બનાવવાની જરૂર કેમ પડી રહી છે તે સમજાઈ રહ્યું નથી… તેમજ સંસ્કૃત શબ્દો લોગોમાં કાઢવાથી ઈન્ટરનેશનલ સ્તરે પણ શું અસર પડશે તે માટેનો કોઈ તર્ક વર્તમાન ડાયરેક્ટરે રજૂ કર્યો નથી. હાલ લોગોને લઈને વિવાદ વકર્યો છે. અને આગામી દિવસોમાં આ બાબતે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર રહેલી છે.
આ પણ વાંચો : Gandhinagar: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ, ધારાસભ્યોની ફોટોગ્રાફી કરાઇ
આ પણ વાંચો : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ અંગદાન અંગે જાગૃતિ લાવવા કરી આ પહેલ