AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal crisis: વીજ સંકટ મુદ્દે ઊર્જા પ્રધાનનું નિવેદન, કહ્યું, 'રાજ્યને મળે છે પૂરતી કોલસાની સપ્લાય'

Coal crisis: વીજ સંકટ મુદ્દે ઊર્જા પ્રધાનનું નિવેદન, કહ્યું, ‘રાજ્યને મળે છે પૂરતી કોલસાની સપ્લાય’

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 9:15 AM
Share

દેશભરમાં ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે કોલસાની અછતને (Coal Crisis) કારણે વીજળીની સમસ્યા સર્જાઈ છે. વીજ કાપના સંકટ વચ્ચે ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ કહ્યું છે કે, ગુજરાત વીજ સંકટથી બાકાત છે. રાજ્યમાં કેન્દ્રના સહયોગથી કોલસાની પૂરતી સપ્લાય મળી રહી છે.

Coal crisis: દેશભરમાં ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે કોલસાની અછતને (Coal Crisis) કારણે વીજળીની સમસ્યા સર્જાઈ છે. વીજળીની વધતી માંગને કારણે પાવર પ્લાન્ટ્સમાં કોલસાની માંગ વધી છે. નિષ્ણાતો કહે છે કે, બ્લેકઆઉટની (Blackout) સ્થિતિમાં, પાવર સપ્લાય કંપનીઓ દ્વારા સ્ટેન્ડ-બાયમાં મૂકવામાં આવેલી પાવર બેકિંગ સિસ્ટમ અસરકારક સાબિત થશે નહીં. આ વીજ કાપના સંકટ વચ્ચે ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ (kanu desai) કહ્યું છે કે, ગુજરાત વીજ સંકટથી બાકાત છે. રાજ્યમાં કેન્દ્રના સહયોગથી કોલસાની પૂરતી સપ્લાય મળી રહી છે. સાથે જ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જી પણ નોંધપાત્ર પ્રમાણમાં મળી રહી છે. આથી ગુજરાત વીજ સંકટથી બાકાત રહી શક્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ રાજ્યમાં વીજ સંકટ ના સર્જાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. મહત્વનું છે કે, ઉર્જામંત્રી કનુ દેસાઈએ વાપીમાં ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી, જે બાદ તેમણે ગુજરાતના વીજ સંકટને લઈ આ નિવેદન આપ્યું હતું

હરિયાણા પણ વીજ સંકટનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં 9 હજાર મેગાવોટથી વધુની માંગ છે. જ્યારે માત્ર 7600 મેગાવોટ વીજળી આપવામાં આવી રહી છે. સાથે જ ગરમીના કારણે આ વખતે ગત વર્ષની સરખામણીમાં માંગમાં 40 ટકાનો વધારો થયો છે. તમામ વિસ્તારોમાં વર્ટિકલ કટ છે. ગામડાઓમાં ચાર કલાકનો કાપ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ લોકો 8-9 કલાક વીજળીથી પરેશાન થઈ રહ્યા છે. આ સંકટમાં ઔદ્યોગિક ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે. 8 કલાકના જાહેર કરાયેલા કાપને બદલે 10 કલાકથી 12 કલાકનો વીજ કાપ છે. જેના કારણે વેપારીઓને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે સ્થિતિ વધુ બગડી શકે છે. આગામી પાંચ-દસ દિવસમાં સંકટ વધુ વધી શકે છે. જ્યાં વીજળીની માંગ સતત વધી રહી છે. તે જ સમયે, થર્મલ યોજનાઓ સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવામાં સક્ષમ નથી.

આ પણ વાંચો: Gir Somnath: 4.0ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા

આ પણ વાંચો: ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">