વડોદરા : એકતાનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

|

Mar 13, 2024 | 11:41 PM

એકતાનગરમાં જૂથ અથડામણમાં 10 જેટલા લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ કોમ્બિંગ હાથ ધર્યું છે.

વડોદરામાં ફરી બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. એકતાનગરમાં હનુમાન ચાલીસા અને અઝાન વગાડવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હનુમાન ચાલીસા અને અઝાન બંને એક જ સમયે વાગતા બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો.

પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ કોમ્બિંગ હાથ ધર્યું છે.

Next Video