ભરૂચ(Bharuch) અંક્લેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે ઉપર આજે સવારે એક પછી એક ત્રણ અકસ્માત(Accident)ની ઘટના બની હતી જેમાં ૭ વાહનો ક્ષતિગ્રટસ થયા હતા જયારે ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ગોલ્ડન બ્રિજને સમાંતરનર્મદા મૈયા બ્રિજ ઉપર સરકારી ST બસને અવર – જ્વર માટે પરવાનગી આપવામાં આવ્યા બાદ આ વિસ્તાર એક્સીડેન્ટ ઝોન તરીકે બદનામ બન્યો છે. લગભગ એક મહિનામાં અહીં ૫ થી વધુ અકસ્માતો નોંધાઈ ચુક્યા છે જે માટે એક તપાસ કમિટીની પણ રચના કરાઈ હતી પરંતુ હજુ અકસ્માત ઉપર નિયંત્ર મળી રહ્યા નથી. આજે સવારે અલગ અલગ ૩ અકસ્માતની ઘટાનો સામે આવી હતી જેમાં અકસ્માતનો ભોગ બનનાર વાહનોમાં 2 ST બસનો પણ સમાવેશ થાય છે.
જુના નેશનલ હાઇવે ઉપર નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ટ્રાફિકની સમસ્યા હળવી બનવાની રાહત અનુભવાઈ હતી જોકે આ રાહત વધુ એક સમસ્યા લાવી હતી. આ બ્રિજ અને તેની આસપાસના વિસ્તારમાં અકસ્માતની સંખ્યા વધી હતી. તંત્રએ ફરી અહીં ભારે વાહનો માટે પ્રવેશબંધી લાદી દીધી હતી. ST બસને નિર્ણયના કારણે ખુબ નુકસાન સહન કરવું પડતું હતું. આખરે માત્ર ST બસ માટે પરવાનગી આપવામાં આવતા ફરી અકસ્માત થઇ રહ્યા છે.
આજે સવારે ભરૂચ – અંકલેશ્વર રોડ ઉપર 6 કલાકમાં અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓમાં કુલ 7 વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા જયારે બે લોકોને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે તપાસ શરૂ કરી છે.
Published On - 9:19 am, Thu, 22 June 23