Sabarkantha : હિંમતનગરમાં (Himatnagar) એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C R Paatil) હળવા મૂડમાં જોવા મળ્યા હતા. સી.આર.પાટીલે હળવી મજાક કરતા કહ્યું કે મારુ ઘરમાં ઉપજતુ નથી. અહીં જે લોકોનું ઘરમાં ઉપજતુ હોય તે તાકાતથી હાથ ઉંચો કરે. બાદમાં પાટીલે હળવા અંદાજમાં કહ્યું કે મારું જ ઘરમાં ઉપજતુ નથી તો તમારુ ક્યાંથી ઉપજશે.
આ પહેલા કચ્છ યુનિવર્સીટિ (kutch university) માં આયોજીત સ્ટેજ કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલ હળવા મૂડમાં નજરે પડ્યા હતા. જૈન સમાજની જીવદયા અને દરેક ક્ષેત્રમાં દાનની મદદની પ્રસંશા કરી હતી સાથે જણાવ્યુ હતુ કે મારી 7 મી વખત રજત તુલા થઇ રહી છે ત્યારે ઘરે જાવુ ત્યારે પત્ની પુછે છે ચાંદી જાય ક્યા છે. C.R પાટીલની વાત પર સૌ કોઇ હસી પડ્યા હતા.તો ફેસબુકની સાથે સોશિયલ મિડીયા પર સક્રિય થવા માટે સી.આર.પાટલીએ ભાજપના કાર્યક્રરોને આહવાન કર્યુ હતુ.
સાથે એકાઉન્ટ ન હોય તો બનાવવા માટે પણ અપીલ કરી હતી. સાથે મોટા નેતાઓની ટ્વીટને રિટ્વીટ કરવા પણ જણાવ્યુ હતુ આ દરમ્યાન તેઓએ રમુજ ફેલાવી કહ્યુ હતુ ટીકીટ આપવા સમયે આ બાબત પણ ધ્યાનમાં લેવાશે કોના કેટલા ફોલોઅર્સ છે.
Published On - 9:53 am, Wed, 5 October 22