ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election) ભાજપે મુરતિયાઓની પસંદગી પ્રક્રીયા શરૂ કરી છે. ભાજપમાંથી ટિકિટ મેળવવા માંગતા ઉમેદવારો માટે લિટમસ ટેસ્ટની શરૂઆત થઈ ચૂકી છે. આજે અમદાવાદ (Ahmedabad) શહેરની 8 બેઠક માટે 2 અલગ- અલગ જગ્યાએ ભાજપના ઉમેદવારોની સેન્સ લેવાશે. હર્ષ સંઘવી (Harsh Sanghavi) અને ગણપત વસાવાને (Ganpat Vasava) અમદાવાદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરની વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા સહિત અસારવા, નરોડા, દરિયાપુર અને દાણીલીમડા બેઠકની સેન્સ લેવાશે.
તો બીજી તરફ અન્ય બેઠકો પર ભાજપે ઉમેદવારોની સેન્સ (BJP Candidate) લેવા માટે નિરીક્ષકોના નામની યાદી જાહેર કરી છે. જિલ્લા પ્રમાણે 3-3 નિરીક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સુરત અને અમદાવાદ શહેર માટે 6-6 નિરીક્ષકો રાખવામાં આવ્યા છે. ઋષિકેશ પટેલને સુરત, જીતુ વાઘાણીને દાહોદ, શંકર ચૌધરીને વડોદરા અને પૂર્ણેશ મોદીને (Purnesh Modi) પંચમહાલની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ભાજપ જીતે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા કટિબદ્ધ છે. ત્યારે ઉમેદવારોને પસંદ કરવા નિરીક્ષકો હવે મેદાને ઉતરશે
Published On - 7:38 am, Thu, 27 October 22