મોટા ભાગે જો તાવ (Fever) કે શરદી અથવા શરીરનો દુખાવો હોય તો લોકો જાતે જ દવા લઈ લેતા હોય છે, પરંતુ કેટલીક દવાની (Medicine) લાંબા ગાળે આડઅસર થતી હોય છે ત્યારે તે અંગે તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. WHO (world health Organisation ) દ્વારા નેશનલ ફાર્મેકોવિજિલન્સ વીક-2022ની ઉજવણી 17થી 23 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવી છે. ત્યારે આ અંતર્ગત અમદાવાદની બી. જે મેડિકલ કોલેજ (B. J Medical College) ખાતે દવાઓની આડઅસરને કેવી રીતે ઓળખવી, કેવી રીતે તેનું નિદાન કરવું અને દર્દીને કેવી રીતે દવાઓની આડઅસર ન થાય તે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નર્સિંગ સ્ટાફ તથા રેસીડેન્ટ ડૉક્ટરે (Doctor) દવાઓની આડઅસર કેવી રીતે ઓળખવી અને તેને કેવી રીતે નિવારી શકાય તે અંગે વિશેષ રીતે તાલીમ આપવામાં આવી હતી. ફાર્મેકોલોજી વિભાગ તરફથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અઠવાડિયા દરમિયાન વિવિધ વિષયો ઉપર તજજ્ઞો અને તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. 17-23 સપ્ટેમ્બર 2022 સુધી રાષ્ટ્રીય ફાર્માકોવિજિલેન્સ સપ્તાહના અંતર્ગત રોગ સુરક્ષા અંગે માહિતી આપવામાં આવશે.