અમદાવાદ (Ahmedabad)માં બિસ્માર રસ્તાઓને લઈને વિપક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. વિપક્ષે(Opposition) બિસ્માર રસ્તાઓને મેયર માર્ગ અને કમિશનર માર્ગ એવા નામ આપ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં બિસ્માર માર્ગનું નામકરણ કરવામાં આવ્યા છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વિપક્ષે હોર્ડિંગ્સ (Hoardings) લગાવ્યા છે. લાંભા, નારોલ વટવા, મણિનગર, ઘોડાસર સહિતના વિસ્તારમાં વિપક્ષે હોર્ડિંગ્સ લગાવ્યા છે. બિસ્માર રસ્તાઓ મામલે વિપક્ષ રસ્તા પર ઉતરી આવી આંદોલન કરી રહ્યો છે.
વિપક્ષનો આરોપ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજારોની સંખ્યામાં શહેરમાં પડેલા ખાડા બુરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ માત્ર દાવો છે. રોડની મરમ્મત કે રોડ ખાડા બુરવાની કોઈ કામ઼ગીરી કરાઈ નથી. આથી શહેરભરના તમામ ખાડાગ્રસ્ત વિસ્તારોની બાજુમાં વિપક્ષ હોર્ડિંગ્સ લગાવી તેને મેયરના નામનો માર્ગ અને મ્યુનિસિપલ કમિશનરના નામનો માર્ગ એવુ નામકરણ કરી રહ્યો છે. આ પ્રકારે હોર્ડિંગ્સ લગાવી વિપક્ષ દ્વારા બિસ્માર રસ્તાઓ મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષનો આક્ષેપ છે કે આટલી હદે રસ્તાઓની દયનિય હાલત હોવા છતા સત્તાધારી ભાજપ દ્વારા સબ સલામત હોવાનો દાવો કરાય છે. ભાજપ એવો દાવો કરી રહી છે કે શહેરમાં કોઈપણ જગ્યાએ રોડ તૂટ્યા નથી અને શહેરનાર રસ્તાઓ સલામત છે. આ આક્ષેપ સાથે વિપક્ષ હવે સત્તાધારી ભાજપને જગાડવા આંદોલન કરી રહ્યુ હોવાનો દાવો કરી રહ્યો છે.
ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ, અમદાવાદ