અમદાવાદ(Ahmedabad) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના(Corona) કેસોના પગલે કોર્પોરેશને કોરોના નિયંત્રણ માટે જૂના નિયમોનો અમલ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં કોર્પોરેશને વધતા કોરોના સંક્રમણને અટકાવવા જે તે સોસાયટી-કોમ્પલેક્સના ચેરમેને કો-ઓર્ડિનેટરની (Co Ordinator) કામગીરી કરવાની રહેશે. જે અંતર્ગત સોસાયટીના સભ્યોને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવું પડશે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગની સર્વે અને ટેસ્ટિંગની કામગીરીમાં સહકાર આપવાનો રહેશે. જો કે કોર્પોરેશનના આ નિર્ણયના પગલે કેટલીક સોસાયટીઓના ચેરમેનમાં કચવાટ જોવા મળ્યો છે. આ નિર્ણયના પગલે ચેરમેન અને સોસાયટી સભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત અમદાવાદ(Ahmedabad) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના(Corona) કેસોના પગલે તંત્રની ચિંતા વધી છે. જેના પગલે મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ(Lochan Sehra) કોરોના અંગે તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે શહેરમાં વધતાં કોરોનાના કેસના પગલે શહેરમાં ટેસ્ટિંગ(Testing) અને ટ્રેકિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ શહેરમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટ ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ તેના અમલ માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. તેમજ કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે. તેમજ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ બાદ હવે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસે યોજાનાર જોબ ફેર મોકૂફ
આ પણ વાંચો : Narmada: ઉત્તરાયણ નજીક આવતા ધમધમી ઉઠ્યા ગોળના કોલા, કેમિકલ વગરના ગોળનું મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે ઉત્પાદન
Published On - 5:21 pm, Thu, 6 January 22