અમદાવાદના (Ahmedabad) બહુચર્ચિત એવા હની ટ્રેપ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટે(Metro Court) આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. આ કેસમાં ગીતા પઠાણ(Geeta Pathan)સહિત 8 લોકોનો છુટકારો થયો છે. આ બાબતે બચાવ પક્ષના વકીલ ચંદ્ર શેખર ગુપ્તાએ જણાવ્યું કે આ કેસમાં કોર્ટ સમક્ષ ફરિયાદી સહિત મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા. એટલે કે ફરિયાદ નોંધાવનાર ફરિયાદીઓએ કોર્ટ સમક્ષ કેસમાં પ્રોસિક્યુશન તરફથી નિવેદન કર્યું ન હતું જેથી સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવા આવા આરોપોને સાબિત કરવા માટે પર્યાપ્ત ન હોવાનું ફલિત થઈ રહ્યું હતું. જે બાબતની કોર્ટે નોંધ લીધી અને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે
મેટ્રોપોલિટન કોર્ટે મહિલા ક્રાઈમના પૂર્વ પીઆઈ ગીતા પઠાણ, PSI જે.કે.બ્રહ્મભટ્ટ સહિત કુલ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. મેટ્રો કોર્ટે ચુકાદો આપવાની સાથે જ કોર્ટ રૂમમાં વેસ્ટ મહિલા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનના તત્કાલીન PI ગીતા પઠાણની આંખોમાં આંસુ સરી પડ્યા હતા.
(With Input,Ronak Varma,Ahmedabad )
Published On - 9:56 pm, Wed, 18 May 22