મહેસાણા જિલ્લાના વિજાપુરના ચૌધરી પરિવારનુ અમેરિકા જવા દરમિયાન મોત નિપજવાના મામલામાં પોલીસે એજન્ટ અર્જુનસિંહ ચાવડાની ધરપકડ કરી છે. પોલીસે મૃત્યુના મામલામાં 3 એજન્ટ સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. પરિવાર અમેરિકા એજન્ટ મારફતે જવા નિકળ્યો હતો અને જેમાં ગેરકાયદે સર રીતે ઘૂસાડવા જતા મોત નિપજવાને લઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. ચૌધરી પરિવારના મોત નિપજવાના સમાચાર બાદ ત્રણેય આરોપી એજન્ટ કેનેડા ભાગી ગયા હતા.
પરંતુ આરોપી અર્જુસિંહ ચાવડા પરત ભારત ફરતા જ પોલીસે તેને મુંબઈ એરપોર્ટ પર ઝડપી લીધો હતો. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ તેને મહેસાણા લઈ આવવા તજવીજ હાથ ધરી હતી. અન્ય બે આરોપી એજન્ટ સચિન વિહોલ અને નિકુલ વિહોલ હજુ કેનાડામાં જ રોકાયેલા છે. જેઓ પરત ભારત ફરતા જ તેમની પણ ધરપકડ કરાશે.