નારાજ નરેશ પટેલના મનામણાં : આટકોટ પાટીદાર સમાજ નિર્મિત હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમની પત્રિકાનો વિવાદ વણસ્યો

|

May 16, 2022 | 8:35 AM

Rajkot : હવે હોસ્પિટલ ટ્રસ્ટ નવી પત્રિકામાં ખોડલધામનું નામ અને લોગો પણ દર્શાવશે,એટલું જ નહીં ભરત બોઘરા નરેશ પટેલને રૂબરૂ આમંત્રણ આપવા જશે.

Rajkot News : રાજકોટ જિલ્લાના આટકોટમાં (Atkot) પાટીદાર સમાજ નિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો(Multi speciality Hospital)  લોકાર્પણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનાર છે. આ કાર્યક્રમની તારીખમાં PM વડાપ્રધાન (PM Narendra Modi) પણ હાજર રહેવાના છે. તારીખમાં વારંવાર ફેરબદલ ઉપરાંત, આમંત્રણ કાર્ડમાં ખોડલધામનું નામ બાકાત કરાતા વિવાદ વણસ્યો છે. હોસ્પિટલનાં લોકાર્પણ કાર્યક્રમનાં આમંત્રણ કાર્ડમાં ખોડલધામનું નામ લખવામાં ન આવતા અને નરેશ પટેલને પણ આમંત્રણ ન મળતા પાટીદાર સમાજમાં (Patidar Community) આંતરિક વિવાદ ઉભો થયો છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયામાં આ મૂદ્દે કેટલાક પાટીદારોએ નારાજગી પણ વ્યકત કરી છે.

હવે હોસ્પિટલ ટ્રસ્ટ નવી પત્રિકા છપાવશે

નારાજ નરેશ પટેલને મનાવવા નવી પત્રિકા તૈયાર કરવામાં આવશે. તેમજ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ખોડલધામનું નામ અને લોગો પણ પત્રિકામાં દર્શાવવામાં આવશે.એટલું જ નહીં ભરત બોઘરા નરેશ પટેલને રૂબરૂ આમંત્રણ આપવા જશે. પાટીદાર સમાજ દ્વારા નરેશ પટેલને (Naresh Patel) કાર્યક્રમમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે કાર્યક્રમમાં આમંત્રણને લઇને નારાજગી દર્શાવી હતી.

40 કરોડના ખર્ચે આ આધુનિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી

તમને જણાવવુ રહ્યું કે, 40 કરોડના ખર્ચે આ આધુનિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અગાઉ 28 તારીખનો કાર્યક્રમ નકકી થયો હતો પરંતુ PMOની સુચનાને પગલે કાર્યક્રમના તારીખમાં ફેરફરા કરવામાં આવ્યો. વડાપ્રધાન આ હોસ્પિટલનાં લોકાર્પણમાં આવી રહયા હોવાથી ટ્રસ્ટીઓ અને પાટીદાર સમાજ દ્વારા વધુ લોકો એકત્ર થાય તે માટે બેઠકોનો દોર કરવામાં આવી રહયો છે. ગઈકાલે 150 આગેવાનોની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

 

Published On - 8:31 am, Mon, 16 May 22

Next Video