પંચમહાલઃ ગરીબોનું અનાજ સગેવગે કરનારા સામે કાર્યવાહી, 11 દુકાનદારોના પરવાના રદ કરાયા

|

Nov 28, 2023 | 11:43 PM

13 દુકાનદારોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. તેમજ ખૂબ જ ગંભીર ગેરરીતિ આચરનાર 8 શખ્સોને કાળાબજારી અટકાવવાના કાયદા હેઠળ જેલહવાલે કરવા કલેકટરને દરખાસ્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગરીબીનું અનાજ સગેવગે કરવાની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે.

પંચમહાલમાં ગરીબીનું અનાજ સગેવગે કરનારાની હવે ખેર નથી. જિલ્લા પુરવઠા વિભાગે અનાજમાં ગેરરીતિ કરનારા સામે મોટી કાર્યવાહી કરી છે. સસ્તા અનાજની દુકાનોમાં તપાસ દરમિયાન ગેરરીતિ મળી આવી હતી. ગંભીર ગેરરીતિ આચરનાર 11 દુકાનદારોના પરવાના કાયમી માટે રદ કરાયા છે.

આ પણ વાંચો પંચમહાલ : પાક નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવાશે, મંત્રી બચુ ખાબડનું નિવેદન

આ ઉપરાંત 13 દુકાનદારોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. તેમજ ખૂબ જ ગંભીર ગેરરીતિ આચરનાર 8 શખ્સોને કાળાબજારી અટકાવવાના કાયદા હેઠળ જેલહવાલે કરવા કલેકટરને દરખાસ્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગરીબીનું અનાજ સગેવગે કરવાની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video