વલસાડના પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કિશોર 3 દિવસથી બીમાર હોવાની માહિતી સામે આવી છે. ત્યારે સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતાં વિધાર્થીએ દમ તોડ્યો હતો. ધોરણ 10માં ભણતા કિશોરનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
બે દિવસ અગાઉ પણ વલસાડમાં 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા. 51 વર્ષીય રાજેશ સિંધેને રસ્તા પર ચાલતા સમયે હાર્ટએટેક આવ્યો હતો. તો 30 વર્ષીય જીમિત રાવલ ફોન પર વાત કરતા અચાનક ઢળી પડ્યો હતો. બંને યુવકોને સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો PM મોદી મહેસાણાની લેશે મુલાકાત, વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે